એક ખેડૂતે તેના ખેતરની એક બાજુમાં સીધી લીટીમાં તારની વાડ બાંધવાનું નક્કી કર્યું. તેણે એમ જોયું કે જો ૮-૮ મીટરના અંતરે થાંભલા ખોડે તો એની પાસે જેટલા થાંભલા હતા તે બધા થાંભલા વપરાઈ જાય, પણ જો ૬-૬ મીટરના અંતરે થાંભલા ખોડે તો પાંચ નંગ થાંભલા તેણે ખરીદવા પડે. તો તેના ખેતરની જે બાજુમાં તે થાંભલા ખોડવા માંગતો હતો તેની લંબાઈ કેટલી હતી અને તેની પાસે કેટલા થાંભલા હતા? (૧) ૧૦૦ મીટર, ૧૫ થાંભલા. (૨) ૧૦૦ મીટર, ૧૬ થાંભલા. (૩) ૧૨૦ મીટર, ૧૫ થાંભલા. (૪) ૧૨૦ મીટર, ૧૬ થાંભલા.
ઉપરોક્ત પ્રશ્ન આપમેળે ઉકેલવાનો લ્હાવો લેશો તેમ હું ધારું છું. વળી જતાં જતાં એક ઉખાણું પણ પૂછી લઉં?
અમથાજી, બચુભાઈ, ચમનલાલ અને ડાહ્યાલાલ એમ ચાર જણા લાલ, લીલા, પીળા અને વાદળી રંગના ઘરમાં રહે છે પણ અનુક્રમે નહીં. ચમનલાલ પીળા રંગના મકાનમાં રહે છે.
લીલા રંગનું મકાન વાદળી રંગના મકાનને અડીને છે. અમથાજી અને ચમનલાલ અડખે-પડખે નથી રહેતા. પીળા રંગનું ઘર લીલા અને લાલ રંગનાં ઘરોની વચ્ચે છે. તો અમથાલાલ કયા રંગના ઘરમાં રહે છે? (૧) વાદળી (૨) લીલો (૩) લાલ (૪) કહી ન શકાય.
જાન્યુઆરી
25
2011